કેળું એ દેશનાં સૌથી પ્રિય ફળોમાંનું એક છે. કેળાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.
કાર્બૉહાઇડ્રેટ્સ જે શરીરને શક્તિ આપે છે અને પોટેશિયમ જે હૃદયને મજબૂત રાખે છે તે બંને કેળામાં ઉપલબ્ધ છે.
આપણને ગળ્યાં અને પીળા રંગનાં કેળાં વધુ મળે છે.
લીલાં/કાચાં કેળાં પણ આપણને મળી રહે છે. તેને મોટા ભાગે શાક તરીકે વાપરવામાં આવે છે.
કેળા ખાવાના પાંચ ફાયદા
1. આંતરડાંની મજબૂતી
કેળાં ખાવાનાં ફાયદા
કેળામાં ભરપૂર માત્રામાં પૅક્ટિન હોય છે જે આંતરડાંના કાર્યને સુધારે છે.
તે આંતરડાંમાં રહેલા ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરે છે.
તેમાં રહેલ સોલ્યુબલ ફાઈબર શરીરમાં કૉલેસ્ટ્રોલ ઓછું કરે છે. કેળામાં ફાઈબર વધુ હોવાથી પેટ ભરેલું લાગે છે. તે પેટનું ફૂલવાનું પણ ઘટાડે છે.
કેળામાં રહેલા કાર્બૉહાઇડ્રેટ્સ સરળતાથી પચી ન શકાય તેવા ખોરાકને પચાવવામાં મદદ કરે છે.
તે આંતરડાંમાં શરીરને જરૂરી બૅક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે.
તે ફેટી ઍસિડ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
2. હૃદયને સ્વસ્થ રાખે છે
કેળામાં પૉટેશિયમ જેવાં સૂક્ષ્મ પોષકતત્ત્વો હોય છે.
પૉટેશિયમ એ શરીરમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સમાંનું એક ગણાય છે.
તે હૃદયના કામમાં સુધારો કરે છે. શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવી રાખે છે અને બ્લડ પ્રેશર (BP)ને નિયંત્રિત કરે છે.
વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે પૉટેશિયમ બ્લડ પ્રેશર ઘટાડે છે અને હૃદયરોગના હુમલાને અટકાવે છે.
3. શરીરમાં બળતરા ઓછી કરે છે
કેળાં જઠરમાં બનતા ઍસિડને સંતુલિત કરે છે. તેમાં રહેલું લ્યુકોસાયનિડિન આંતરડાંનાં પાતળા અસ્તરને જાડું કરવામાં મદદ કરે છે.
તે ઍસિડની અસર ઘટાડે છે.
પાકેલાં કેળાં હાર્ટબર્નથી રાહત આપે છે.
4. કેળાં શરીરને ઊર્જા પ્રદાન કરે છે
કેળાં શરીરને ઊંચી કૅલરી ઊર્જા પ્રદાન કરે છે.
અન્ય ફળોની સરખામણીમાં કેળાંમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે.
ફાઈબરની સાથે સુક્રોઝ, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ શરીરને જરૂરી ઊર્જા પ્રદાન કરે છે. કેળાંમાં રહેલું પૉટેશિયમ સ્નાયુઓના હલનચલનમાં મદદ કરે છે અને તેમનું ખેંચાણ ઘટાડે છે.
5. તણાવ ઘટાડે છે
કેળાંમાં જોવા મળતું ટ્રિપ્ટોફન નામનું ઍમિનો ઍસિડ શરીર દ્વારા સૅરોટોનિનમાં પરિવર્તિત થાય છે, જે મગજને શાંત કરવામાં મદદ કરે છે.
આ સૅરોટોનિન મગજને આરામ આપે છે. તે તણાવ દૂર કરે છે અને ઉત્સાહિત કરે છે.
શું બધા જ લોકો કેળાં ખાઈ શકે?
હા, કેળાં દરેક વ્યક્તિ ખાઈ શકે કે નહીં તે પણ ચર્ચાનો વિષય છે.
કેળાં દરેક માટે યોગ્ય ન પણ હોઈ શકે. કેટલાક લોકોમાં તેઓ માઇગ્રેનનું કારણ બની શકે છે.
તે અન્ય ઍલર્જીનું કારણ પણ બની શકે છે.
જો તમે કેળાં ખાવા ટેવાયેલા નથી, તો તેને ખાધા પછી મિનિટોમાં જ એલર્જીનાં લક્ષણો દેખાશે.
આવી ઍલર્જીને એનાફિલેક્સિસ કહેવામાં આવે છે. જો આવું થાય, તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.
જોકે, ડૉકટરો સૂચવે છે કે ડાયાબિટીસથી ધરાવતા લોકોએ કેળાંનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ.
ઉપરાંત, કેટલીક દવાઓ લોહીમાં પોટેશિયમનું સ્તર વધારી શકે છે. જો તમે આવી દવાઓનો ઉપયોગ કરતા હો તો કેળાં જેવા પોટેશિયમવાળો ખોરાક લેતા પહેલાં સાવચેત રહેવું જોઈએ.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડવો – અહી ક્લિક કરો
